GSTV
Gujarat Government Advertisement

એન્કાઉન્ટર: દંતેવાડામાં સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે મોટી અથડામણ, એક લાખનો ઈનામી નક્સલી ઠાર

Last Updated on April 11, 2021 by

દંતેવાડા ડીઆરજી અને કટેકલ્યાણ ક્ષેત્ર સમિતિ અને નક્સલવાદીઓ વચ્ચે રવિવારે બપોરના 2 વાગ્યા સુધી ગોળીબાર થયો હતો. આ ગોલીબારમાં ગાદમ અને જંગમપાલના જંગલોમાં એક નક્સલવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ વેટ્ટી હંગા તરીકે થઈ હતી. હંગા પર 1 લાખ રૂપિયાનું ઈનામ પણ હતું.

કેટલાય નક્સલીઓ ઠાર થયા હોવાની આશંકા

આ ગોળીબારમાં ઘણા અન્ય નક્સલવાદીઓના મોત કે ઈજાગ્રસ્ત થયાની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે. જ્યારે એક 8 એમએમએ પિસ્તોલ અને એક દેશી પિસ્તોલ કબજે કરવામા આવી હતી. આ ઉપરાંત 2 કિલો આઈઈડી વિસ્ફોટક, દારૂગોળો, નક્સલવાદી સાહિત્ય, દવાઓ અને અન્ય સામગ્રી કબજે કરવામા આવી હતી.

સરકારે જણાવ્યું કે, છત્તીસગઢમાં 8 જીલ્લામાં નક્સલવાદની અસર છે. જેમાં બીજાપુર, સુકમા, બસ્તર, દંતેવાડા, કાંકેર, નારાયણપુર, રાજનંદગાંવ અને કોંડાગાંવ સામેલ છે. 2011 થી 2020 ના 10 વર્ષના સમયગાળામાં છત્તિસગઢમાં 3 હજાર 772 નક્સલી હુમલા થયા છે. જેમાં 489 જવાનો શહીદ થયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો