GSTV
Gujarat Government Advertisement

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

અક્ષય

Last Updated on August 23, 2021 by

અક્ષય કુમાર તાજેતરમાં કોરોના પોઝિટિવ થયો હતો. કોરોનાથી સંક્રમિત થયાની જાણકારી આપ્યાના એક દિવસ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ સમાચાર પછી સોશિયલ મીડિયા પર ફેન્સ તેમના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. હવે તેમની દુઆ અને પ્રાર્થના પૂરી કામ કરી છે. અક્ષયની પત્ની અને પૂર્વ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ એક કાર્ટૂન પોસ્ટ કરી અક્ષય કોરોના નેગેટિવ થઇ ઘરે પરત ફર્યા તરફ ઇશારો કર્યો છે.

અક્ષય

ટ્વિંકલે કાર્ટૂન પોસ્ટ કરી લખ્યું છે કે સ્વસ્થ અને સુરક્ષિત… પાછા તેમને જોઇને સારુ લાગી રહ્યું છે. તેની સાથે જ તેણે #alliswell એટલે બધુ ઠીક છેનો ટેગ પણ કર્યો. અક્ષયના ફેન્સ આ પોસ્ટ જોઇ ખૂબ જ ખુશ છે. ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

ટ્વિટ કરી ફેન્સનો આભાર માન્યો

અગાઉ 5 એપ્રિલે અક્ષય કુમારે ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે સાત દિવસ સુધી હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડ્યા પછી અક્ષયે વાઇરસને હરાવી દીધો છે. તેણે ફેન્સનો આભાર માનતા લખ્યું હતું કે તમારી પ્રાર્થનાઓ માટે આભાર. લાગે છે તે કામ કરી રહી છે, હું સ્વસ્થ છું. પરંતુ સાવચેતીના ભાગરૂપે મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આશા કરું છું કે ટૂંક સમયમાં હું ઘરે પરત ફરીશ, તમારી સંભાળ રાખો.

અક્ષય

અક્ષય રામ સેતૂની શૂટિંગ દરમિયાન કોરોના પોઝિટિવ થયો હતો

ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ થયા પહેલા અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ રામ સેતૂની શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. અક્ષય સિવાય ફિલ્મ રામ સેતૂના 45 જૂનિયર આર્ટિસ્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લોઇઝના જનરલ સેક્રેટરી અશોક દુબેએ જણાવ્યું હતું કે ‘રામ સેતૂ’ની ટીમ સાવચેતી રાખી રહી છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે જૂનિયર આર્ટિસ્ટ એસોસિએશનના 45 લોકો કોરોના પોઝિટિવ મળ્યા. તેઓ બધા ક્વાન્ટીન હેઠળ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો

રાહતના સમાચાર/પેન્શનરોને મોટી રાહત, હવે આધાર કાર્ડ વગર પણ લાઈફ સર્ટિફિકેટ બની શકશે