GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર: દેશમાં રેમડેસિવીર ઈંજેક્શનની માગ વધતા નિકાસ પર રોક લગાવી, દેશમાં સ્થિતી સુધરે નહીં ત્યાં સુધી રહેશે પ્રતિબંધ

Last Updated on April 11, 2021 by

કોરોના સંકટ રોકવા માટે લોકોને જેને જીવનરક્ષક માને છે, તેવા રેમડેસિવિર ઈંજેક્શનની નિકાસ પર કેન્દ્ર સરકારે તાત્કાલિક રોક લગાવી દીધી છે. ભારત સરકારે દેશમાં હાલત સુધરે નહીં ત્યાં સુધી તેના પર રોક લગાવાની જાહેરાત કરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી રેમડેસિવિર ઈંજેક્શનની કમી દેખાઈ રહી છે. ત્યારે આવા સમયે સરકારે નિર્ણય કર્યો છે કે, દેશમાં 11 લાખથી વધારે એક્ટિવ કેસ છે. અને તેને લઈને રેમેડેસિવિર ઈંજેક્શનની માગ વધી રહી છે. આવનારા દિવસોમાં આ માગમાં વધારો થઈ શકે છે. ત્યારે આવા સમયે સરકારે ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને ઈંજેક્શનની નિકાસ પર રોક લગાવાનો નિર્ણય કર્યો છે.

એક્સપોર્ટ પર રોકનો આ નિર્ણય ત્યાં સુધી લાગૂ રહેશે, જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ ઓછુ ન થઈ જાય. સરકારનું કહેવુ છે કે, કેટલીય કંપનીઓ આ ઈંજેક્શન ઉત્પાદનમાં જોડાયેલી છે. દરરોજ 38.80 યુનિટ્સનું ઉત્પાદન થઈ રહ્યુ છે. ઉત્પાદનના આંકડા અને કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ સરકારે તેની કાળાબજારી રોકવા માટે પણ જરૂરી પગલા લેવાની વાત કહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33