GSTV
Gujarat Government Advertisement

છાસવારે દબંગ નિવેદનો આપવા ભારે પડયા / સંજય રાઉતનું પોતાની જ પાર્ટીમાં ઘટ્યું કદ

Last Updated on April 1, 2021 by

મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ લોકસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અરવિંદ સાવંતને પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે. અત્યાર સુધી સંજય રાઉત જ પાર્ટીના મુખ્ય પ્રવક્તા હતા અને હવે આ જ હોદ્દો અરવિંદ સાવંદને પણ અપાયો છે. આ નિર્ણયને પાર્ટીમાં રાઉતનુ કદ ઘટાડવાની કવાયત તરીકે જોવાઈર હ્યો છે. સાસંદ સાવંત આ પહેલા પણ પાર્ટીના પ્રવક્તા તરીકે ફરજ બજાવી ચુક્યા છે. શિવસેના જ્યારે એનડીએમાં હતી ત્યારે સાવંત શિવસેનામાંથી કેન્દ્રીય મંત્રી બન્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, રાઉતે સામનામાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર નિશાન સાધીને તેમને એક્સિડેન્ટલ હોમ મિનિસ્ટર ગણાવ્યા હતા અને એ પછી પાર્ટીએ સાવંતને પ્રવક્તા બનાવવાનો નિર્ણય લીધો છે. સામનામાં લખાયેલા લેખ બાદ કોંગ્રેસે રાઉતને સમજી વિચારીને બોલવાની સલાહ આપી હતી.

સંજય રાઉત

સાથે સાથે એ પણ નોંધવા જેવુ છે કે, તાજેતરમાં જ લોકસભાના મહિલા સાંસદ નવનીત રાણાએ અરવિંદ સાવંત પર ધમકી આપવાનો આરોપ મુક્યો હતો. આ મામલામાં સાવંત સામે કાર્યવાહી કરવાની પણ મહિલા સાંસદે માંગ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33